ગાંધીનગર,
ગાંધીનગરના નવા સચિવાલયમાં દીપડો ઘૂસ્યાની વાત વાયુવેગે ફેલાતા ખળભળાટ મચી ગયો હતો. જેને લઈને વન વિભાગની ટીમે સવારથી દીપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરી હતી.
જેમાં પૂનિત વન વિભાગની ટીમને મોટી સફળતા મળી છે અને વન વિભાગની ટીમે 2.57 ટ્રેનકેલાઈઝ ગનથી બેભાન કરી દીપડાને પાંજરે પૂરયો છે.ઉલ્લેખનિય છે કે બપોરે 12 વાગ્યાની આસપાસ દીપડાનું લોકેશન મળ્યું હતું.
દીપડાનું લોકેશન રાજભવનની નર્સરીની આસપાસ મળી આવતા વન વિભાગને ટીમ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મહત્વનું છે કે દીપડાને પાંજરે પૂરવા ખાસ જૂનાગઢથી વન વિભાગની ટીમને બોલાવામાં આવી છે.
જણાવ્વું રહ્યું કે, પ્રાણીઓને રહેવા માટેના વનવિસ્તાર આપણે કાપી રહ્યાં છીએ અને મોટી મોટી બિલ્ડીંગો બનાવી રહ્યાં છીએ, જેના કારણે આવા હિંસક પ્રાણીઓ પોતાનો વિસ્તાર છોડીને રહેણાંક વિસ્તારમાં આવતા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.