ગાંધીનગર,
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા રાજ્યના બિન અનામત વર્ગને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા એક યોજના જાહેર કરવામાં આવી છે.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા આ જાહેરાત કરતા જણાવાયું કે, અનામતને કોઇ નુકસાન ન થાય અને સવર્ણ સમાજને ન્યાય મળી રહે તેવા પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, સંપુર્ણ અભ્યાસ કર્યા અને મંથન બાદ આ યોજના લાગુ કરવામાં આવી છે. રાજ્યમાં આશરે દોઢ કરોડ લોકોને અનામત નથી મળી રહી. તમામને સરખી વ્યવસ્થા મળે તે પ્રકારનો સરકારનો પ્રયાસ છે. આ જાહેરાતથી 58 જેટલી જાતિઓને ફાયદો થશે .
લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર તમામ સમાજોને એક સાથે રાખવાનો પ્રયત્ન કરી રહી છે. ગામડામાં ભાજપની પકકડ ઘટતી જાય છે. શહેરી મતદારોના ભરોસે બેસવાને બદલે ભાજપે ગ્રામીણોને પણ રીઝવવાનો પ્રયત્ન કર્યો છે. લોકસભાની ચૂંટણીમાં ગામડાના મતદારોની નારાજગી ભાજપને ભારે પડી શકે છે. ભાજપે હવે તમામ આંદોલનને એક સાથે દાબી દેવા માટે માસ્ટરપ્લાન ઘડ્યો છે.
બિનઅનામત નિગમની વિવિધ યોજનાઓ અંગે રાજ્યના ડે.CM નીતિન પટેલે એક કોન્ફરન્સ કરીને પત્રકારો સાથે વાતચીત કરી હતી.
શૈક્ષણિક અભ્યાસ યોજના।