યુનેસ્કો/ ગરબાને યુનેસ્કો કલ્ચરલ હેરિટેજના દરજ્જામાં સામેલ કરવાની તૈયારી,ભારત સરકાર 2023માં કન્વેન્શનમાં કરશે દાવો

ભારત સરકારે કન્વેન્શન ફોર ધ સેફગાર્ડીંગ ઑફ ધ ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ યાદીમાં ગરબાનો સમાવેશ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

Top Stories India
3 29 ગરબાને યુનેસ્કો કલ્ચરલ હેરિટેજના દરજ્જામાં સામેલ કરવાની તૈયારી,ભારત સરકાર 2023માં કન્વેન્શનમાં કરશે દાવો
  • ગરબાને યુનેસ્કો કલ્ચરલ હેરિટેજના દરજ્જાની તૈયારી
  • 2023ના કન્વેન્શનમાં ભારત સરકાર કરશે દાવો
  • હેરિટેજ યાદીમાં ગરબાનો સમાવેશ કરવાના પ્રયાસો
  • ગરબાની લોક પરંપરાનું નામાંકન કરશે

ગુજરાતનો વારસો અને સંસ્કૃતિનો પ્રતીક એવા ગરબાને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે,ભારત સરકારે કન્વેન્શન ફોર ધ સેફગાર્ડીંગ ઑફ ધ ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ યાદીમાં ગરબાનો સમાવેશ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. યુનેસ્કો દ્વારા આ હેરિટેજ યાદી તૈયાર કરવામાં આવે છે. જેમાં વિશ્વની ઐતિહાસિક સાંસ્કૃતિક પરંપરાઓ, કળાને સ્થાન આપવામાં આવે છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજીત વડનગર કૉન્ફરન્સમાં યુનેસ્કોના ભારત, ભુટાન, માલદીવ્સ અને શ્રીલંકા ખાતેના ડાયરેક્ટર એરિક ફોલ્ટે ગુજરાતના ગરબાને હેરિટેજમાં સામેલ થાય એ માટે શુભેચ્છા પાઠવી હતી.

વડાપ્રધાન મોદીના વતન વડનગરને વૈશ્વિક ઓળખ આપવા વડનગર કૉન્ફરન્સ યોજાઈ છે. કૉન્ફરન્સમાં ફૉલ્ટે જણાવ્યું હતું કે યુનેસ્કો વર્ષ 2023માં અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે યુનેસ્કો કન્વેન્શનની 20મી જયંતિ ઉજવશે જેમાં ભારત સરકાર ગુજરાતી ગરબાની લોક પરંપરાનું નામાંકન કરશે. ગુજરાત એ ભારતમાં સૌથી વધુ વિશ્વ ધરોહર શિલાલેખો ધરાવતું રાજ્ય છે જ્યાં ચાંપાનેર, રાણીની વાવ, અમદાવાદ અને ધોળાવીરા જેવા ઐતિહાસિક- સાંસ્કૃતિક વારસો ધરાવતા સ્થળો આવેલા છે તે ગુજરાત માટે ગૌરવ સમાન છે.

વડનગરમાં યોજાતા તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે ઉજવવાની જાહેરાત કેન્દ્રિય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મિનાક્ષી લેખીએ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડનગરના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા વડનગરને લેન્ડમાર્ક હેરીટેજ ટુરીઝમ ડેસ્ટીનેશન તરીકે વિકસાવવામાં આવશે.