Vande Bharat Express: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન એક અથવા બીજી રીતે હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક ટ્રેનમાં પથ્થરમારો થાય છે તો ક્યારેક જાનવર સાથે અથડાવાને કારણે તે હેડલાઇન્સમાં રહે છે.
હવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં લોકોએ કચરો ફેલાવ્યો છે. આ અંગે IAS અવનીશ શરણે ટ્વીટ કરીને એક ફોટો શેર કર્યો છે, જેમાં ફેંકવામાં આવેલી પાણીની બોટલો, ફૂડ બોક્સ, પોલીથીન બેગ અને પેકેટ દેખાય છે. જેના પરથી જાણવા મળે છે કે લોકોએ કચરો ડસ્ટબીનમાં નાખ્યો ન હતો. એક સફાઈ કામદાર પણ તેને સાફ કરતો જોવા મળે છે. અવનીશ શરણે ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, “અમે ભારતના લોકો છીએ”.
“We The People.”
Pic: Vande Bharat Express pic.twitter.com/r1K6Yv0XIa
— Awanish Sharan (@AwanishSharan) January 28, 2023
IAS અવનીશ શરણનો ફોટો વાયરલ થયો છે. આના પર ઘણા લોકોની પ્રતિક્રિયા આવી છે. યોગેન્દ્ર સિંહ નામના વ્યક્તિએ લખ્યું કે સર, દેશના લોકો તેમના અધિકારો જાણે છે, પરંતુ તેમની ફરજો નથી જાણતા. જયારે, અક્ષત જયસ્વાલ નામના યુઝરે લખ્યું કે લોકો હંમેશા સારી સુવિધાઓની માંગ કરે છે, પરંતુ લોકો તેને સાફ કેવી રીતે રાખવું તે જાણતા નથી.
ભારતીય રેલ્વેએ તાજેતરમાં લોકોને રેલ્વેને સ્વચ્છ રાખવાની અપીલ કરી હતી. વિશાખાપટ્ટનમમાં વંદે ભારત એક્સપ્રેસમાં કચરો મળ્યા બાદ આ અપીલ કરવામાં આવી હતી. તેની કોઈ અસર થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે દેશના ઘણા ભાગોમાં વંદે ભારત એક્સપ્રેસમાં પથ્થરમારો થયો છે. જેના કારણે ટ્રેનની બારીના કાચ પણ તૂટી ગયા હતા. ત્યારે હવે કચરાનો મામલો સામે આવ્યો છે.
આ પણ વાંચો/ Kerala Governor/કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનની ફરિયાદ, લોકો મને હિન્દુ કેમ નથી કહેતા