રાજસ્થાનમાં નવી મોટરસાયકલ, સ્કૂટર અથવા કોઈપણ ટુ-વ્હીલર ખરીદનાર વ્યક્તિને સંબંધિત કંપએ મફતમાં હેલ્મેટ આપવું પડશે. રાજ્યની ગેહલોત સરકારે ઓટોમોબાઈલ ઉત્પાદકો માટે આ નિયમ ફરજિયાત બનાવ્યો છે.
રાજસ્થાનના પરિવહન પ્રધાન પ્રતાપસિંહ ખાચારીવાસના જણાવ્યા મુજબ આ સિસ્ટમ 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે રાજસ્થાનમાં નવી મોટરસાયકલ, સ્કૂટર અથવા કોઈપણ ટુ-વ્હીલર ખરીદનાર વ્યક્તિને કંપની દ્વારા આઈએસઆઈ માર્ક હેલ્મેટ વિના મૂલ્યે આપવામાં આવશે.
ખાચારીવાસે કહ્યું કે સરકારે તમામ ટુ-વ્હીલર કંપનીઓ માટે ગ્રાહકને હેલ્મેટ આપવાનું ફરજિયાત બનાવ્યું છે. આ અંગે તમામ ઓટોમોબાઈલ ડીલરો સાથે બેઠક પણ મળી હતી. બેઠકમાં ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના અધિકારીઓ અને પરિવહન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માર્ગ અકસ્માતને કારણે થયેલા મોતને કારણે સરકારે આ નિર્ણય લીધો છે. ટુ-વ્હીલર અકસ્માત દરમિયાન, હંમેશાં એવું જોવા મળ્યું છે કે હેલ્મેટ ન પહેરવાની ઘટનામાં ટુ-વ્હીલર સવાર ઘણીવાર મૃત્યુ પામે છે. હેલ્મેટ પહેરી રાખવાથી માથામાં ઈજા થવાની સંભાવના ઓછી થાય છે. આ બાઇક સવારની જિંદગી બચાવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.