BJP/ “ઘી નાં ઠામમાં પડ્યું ઘી” – વસાવા માની જતા ગુજરાત ભાજપમાં ફીલ ગુડ

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા માની ગયા હોવામાં ગુજરાતનાં રાજકારણ અને ખાસ કરીને ભાજપ માટેનાં મોટા કહી શકાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. રાજી રાજી ભરૂચનાં સાંસદે

Top Stories Gujarat Others
manshukh 1 "ઘી નાં ઠામમાં પડ્યું ઘી" - વસાવા માની જતા ગુજરાત ભાજપમાં ફીલ ગુડ
  • ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા માની ગયા
  • મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચ્યુ
  • મનસુખ વસાવા અને CM સાથે યોજાઇ બેઠક
  • 45 મિનિટ સુધી મહત્વની બેઠક યોજાઇ
  • સરકાર કે પક્ષ તરફથી કોઇ તકલીફ નહીં: વસાવા
  • નાદુરસ્ત તબિયતને કારણે આપ્યું હતું રાજીનામુ

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા માની ગયા હોવામાં ગુજરાતનાં રાજકારણ અને ખાસ કરીને ભાજપ માટેનાં મોટા કહી શકાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. રાજી રાજી ભરૂચનાં સાંસદે ના’રાજીનામુ પરત ખેંચ્યુ હોવાની વિગતો સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા રાજીનામા બાદ આજે ગાંધીનગર ખાતે CM સાથે બેઠક યોજી હતી. 45 મિનિટ સુધી ચાલી આ બેઠકમાં મહત્વ અને ગુજરાત ભાજપ માટે રાહતનાં સમાચાર ફળસ્તુતી રહી છે.

બેઠક બાદ ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ પોતાની વાત સામે રાખતા જણાવ્યુ હતું કે, સરકાર કે પક્ષ તરફથી કોઇ તકલીફ નહીં પરંતુ
નાદુરસ્ત તબિયતને કારણે રાજીનામુ આપ્યું હતું.

આપને જણાવી દઇએ કે, નર્મદાનાં ભાજપનાં સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યાંથી ગુજરાત ભાજપમાં ભૂકંપનો આંચકો અનુભવાયો અને ભાજપની નેતાગીરીમાં હડકંપ જોવામાં આવ્યો. ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમારે સાંસદ મનસુખભાઈના ઘરે મુલાકાત કરી હતી. બંધબારણે યોજાયેલી બેઠકમાં જિલ્લા પ્રભારી સતીષ પટેલ અને જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામ પટેલ પણ જોડાયા હતા.

गुजरात से भाजपा सांसद मनसुख वसावा ने छोड़ी पार्टी, पत्र लिख बोले- मुझे माफ कर देना - bjp mp mansukh vasava resign

મુલાકાત બાદ ભરતસિંહે સકારાત્મક પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભાજપમાં મનસુખભાઈ અને મેં સાથે કામ કર્યુ છે. હું તેમની પ્રકૃતિથી સારી રીતે વાંકેફ છું. તેઓ ખૂબ જ પ્રામાણિક નેતા છે અને એક કાર્યકર્તા તરીકે ઉદાહરણરૂપ કામગીરી કરી છે. ભાજપ સંગઠન હાલ પાછલા લાંબા સમયથી ભાજપથી નારાજ જણાતા દિગ્ગજ આદિવાસી નેતા મનસુખ વસાવાને મનાવી લેવીની કવાયતમાં હોવાનું જોવામાં આવી રહ્યું છે.

BJP Gujarat - Home | Facebook

બરોબર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથા પર છે અને વિરોધ પક્ષો આંતરીક કલહનો લાભ ન લઇ જાય માટે ભાજપની નેતાગીરી ભાજપ ના’રાજીનામુ આપનાર સાંસદ મનસુખ વસાવાના રાજીનામા મામલે આજે ગાંધીનગર ખાતે સાંસદ મનસુખ વસાવા આવ્યા હતા  ત્યારે બેઠકમાં ના’રાજીનામુ – રાજી’ નામામાં પલટાવવા વાર્તાલાપ થઇ હતી. સાંસદ મનસુખ વસાવા પોતાના મનની વાત લઈને ગાંધીનગર આવી  CM સાથે સંવાદ કરતા ઘી નાં ઠામમાં ઘી પડી ગયુ છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…