PMC બેંકનાં ખાતા ઘરાકો માટે આંશીક ખુશખબર આવી રહી છે. HDILનાં કૌભાંડી વાધવાન બ્રધર્સની ધરપકડ કરી લેવામાં આવી છે. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ(PMC) બેંક, કૌભાંડમાં રિઅલિટી ફર્મ HDILના ડાયરેક્ટર્સ રાકેશ વાધવાન અને સારંગ વાધવાનની મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે ધરપકડ કરી છે. HDILની 3,500 કરોડની સંપતિઓને પણ એટેચ કરવામાં આવી છે. પોલીસે PMC મામલામાં સોમવારે FIR નોંધાવી હતી.
આપણ વાંચો : “પાડાનાંં વાંકે પખાલીને ડામ” PMC બેંક મામલે RBIનાં નિર્ણયથી ખાતાઘરાકોનાં નાણાં ફસાયા
FIRમાં PMC બેંક ક્રાઇસીસમાં HDILના ડાયરેક્ટર્સ રાકેશ વાધવાન અને સારંગ વાધવાનની મોટી ભૂમીકા સામે આવી હતી. આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા અચાનક જ RBI દ્વારા PMC માંથી ખાતા ઘારકો રોજના ફક્ત 1000 ઉપાડી શકશે તેવા આદેશો કરવામાં આવતા PMC બેંકમાં કોઇ કૌભાંડ આચરવામાં આવ્યું છે તે સામે આવ્યું હતું. જો કે, બાદમાં RBI દ્વારા ખાતા ઘારકોની હાલાકીને નજરમાં રાખી 10000 સુધીની રોકડ ઉપાડવાની છુટ આપવામાં આવી છે.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN