બેંગલુરુકર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ઉભા થયેલા રાજકીય સંકટ પર રાજયપાલ વજુભાઇ વાળાએ અપેક્ષિત નિર્ણય લઇ લીધો છે.
રાજ્યપાલે ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાને સરકાર બનાવા માટે આમંત્રણ આપી દીધું છે. રાજ્યપાલ વજુભાઇએ ભાજપના નેતા બી એસ યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટેનો પત્ર પણ આપી દીધો છે.આ પત્ર પછી ગુરુવારે યેદુરપ્પા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.કર્ણાટકના રાજભવને શપથ ગ્રહણને લઇ સત્તાવાર માહિતી આપી દીધી છે.
રાજયપાલે યેદુરપ્પાને વિધાનસભામાં બહુમતી સાબિત કરવાનો 15 દિવસનો સમય આપ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, શપથ ગ્રહણ સમારંભમાં પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામેલ થશે નહીં. કહેવાય છે કે શપથ ગ્રહણમાં એકલા યેદિયુરપ્પા જ શપથ લેશે. બીજા કોઇ મંત્રી તેમની સાથે શપથ લેશે નહીં.