સુરતની આશરે 13 જેટલી ટેકસટાઇલ, કેમિકલ અને સિરામિક વેપારીઓને ત્યાં GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો બહાર આવવાની આશંકા છે. બોગસ બિલિંગ ને લઈને વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હોવાનું ચર્ચી રહ્યું છે.
જીએસટી વિભાગના દરોડાએ સુરતના વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. વિવિધ વેપારીઓદ્વારા નાણાકીય વ્યવહારોમાં મોટી ગફલત હોવાની આશંકા સેવાઇ રહી છે. હોલ તો આ 13 વેપારીને ત્યાં GST વિભાગ ત્રાટક્તા વેપારી આલમમાં સન્નાટો છવાઈ ગયો છે.
વેપારીઓ દ્વારા કરોડો રૂપિયાનો વેપાર માત્ર કાગળ ઉપર થયો હોવાની શંકા વિકટ કરવામાં આવી છે. જીએસટી વિભાગને ગફ્લત માં નાખવા માટે ખોટા હિસાબો અને બિલો બનાવ્યા હોવાની પણ શંકા વિકટ કરવામાં આવી રહી છે. જેના દ્વારા કરોડો રૂપિયાની ટેક્સ ચોરી ની પણ શંકા સેવાઇ રહી છે.
સુરતની સિરામિક, ટેકસટાઇલ, અને કેમિકલનાં 13 વેપારીને ત્યાં હાલ દરોડા પાડવામાં આવ્યા છે. તમામ વેપારીના ધંધાકીય રેકોર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો પેટે પાટા બાંધો પણ, દેશનું સન્માન જાળવો, વડા પ્રધાનની એક અપીલ પર દેશ ભૂખ્યો રહ્યો હતો
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.