Not Set/ ૪ દિવસથી ગુમ છે અમદાવાદનો આ ૧૨ વર્ષનો માસૂમ

અમદાવાદ જેટલું સ્માર્ટ સીટી બનતું જાય છે તેટલુ જ ક્રાઈમ સીટી પણ બનતું જાય છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં શિવ ગણેશ રેસિડેન્સીમાં રહેતો અને ગાયત્રી સ્કુલમાં ભણતો મોહનલાલ નેક્સેલાલ રાજપૂત નામનો બાળક ઘરના કોઈ કામ માટે બહાર નીકળ્યો હતો અને આ ૧૨ વર્ષનો બાળક શનિવારના રોજ ગુમ થયો છે. છેલ્લા ૪ દિવસથી ઘરે પાછો આવ્યો નથી. […]

Gujarat
nikol ૪ દિવસથી ગુમ છે અમદાવાદનો આ ૧૨ વર્ષનો માસૂમ

અમદાવાદ જેટલું સ્માર્ટ સીટી બનતું જાય છે તેટલુ જ ક્રાઈમ સીટી પણ બનતું જાય છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં શિવ ગણેશ રેસિડેન્સીમાં રહેતો અને ગાયત્રી સ્કુલમાં ભણતો મોહનલાલ નેક્સેલાલ રાજપૂત નામનો બાળક ઘરના કોઈ કામ માટે બહાર નીકળ્યો હતો અને આ ૧૨ વર્ષનો બાળક શનિવારના રોજ ગુમ થયો છે.

છેલ્લા ૪ દિવસથી ઘરે પાછો આવ્યો નથી. આ બાબતે પોલીસ ફરિયાદ કરતા પોલીસ તપાસ હાથ ધરવાને બદલે માત્ર ને માત્ર સાંત્વના આપી રહી છે પરંતુ ખરેખર તો કાયદો અને સલામતી તંત્રના રખેવાળા કુંભકર્ણની નિંદ્રામાં સુતું હોય તેમ લાગે છે. હમણાં ને હમણાં સતત બાળક ગુમ કે કિડનેપ થવાનો આ બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હજુ મણીનગરના રુદ્રની ઘટનાને ૧૫ દિવસ નથી થયા ત્યા તો  નિકોલમાં  બાળકના ગુમ થવાની ફરિયાદ સામે આવી છે.