અમદાવાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચીટીંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 72 લાખ રૂપિયાની ઉચાપાત કરતા ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સી.જી રોડ પર પર આવેલ પટેલ મણીલાલ મગનલાલ આંગડિયા પેઢીના માલિક દ્વારા તેના કર્મચારીની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડુબ્લીકેટ રસીદો બનાવી તેની ઓફિસમાં જમા કરાવી પીયુસ ઓફિસે આવાનું બંધ કરી દીધું હતું. જેના લીધે શંકા જતા તપાસ હાથ ધરી ત્યારે માલુમ પડ્યુ કે પીયુસ ઉચાપાત કરી ફરાર થઈ ગયો છે. આરોપીમાં પીયુસ પટેલ, અંકુર પટેલ અને બળદેવભાઇ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
નવરંગપુરાના પોલીસ ઇન્સ્પેકટર એ એમ પરમારના જણાવ્યા પ્રમાણે સી.જી રોડ પર પર આવેલ પટેલ મણીલાલ મગનલાલ આંગડિયા પેઢીના માલિક દ્વારા તેના કર્મચારીની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 72 લાખ રૂપિયાની ઉચાપાત કરતા ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીમાં પીયુસ પટેલ, અંકુર પટેલ અને બળદેવભાઇ પટેલ સામે હાલ ફરિયાદ નોંધી છે.
ડુબ્લીકેટ રસીદો બનાવી તેની ઓફિસમાં જમા કરાવી પીયુસ ઓફિસે આવાનું બંધ કરી દીધું હતું. જેના લીધે શંકા જતા તપાસ કરતા માલુમ પડ્યુ કે પીયુસ ઉચાપાત કરી ફરાર થઈ ગયો છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.