અમદાવાદ એરપોર્ટ પર યાત્રિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ, હજ પર જઈ રહેલા યાત્રિકોએ આ હોબાળો કર્યો હતો.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે,હજ પર જઈ રહેલા યાત્રિકોની ફ્લાઇટ રદ્દ થતા રોષે ભરાયેલા યાત્રીઓ દ્વારા આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું હતું. 150 જેટલા યાત્રાળુઓની ફ્લાઇટ રદ્દ થઇ હતી.
જણાવી દઈએ કે, અમદાવાદથી સાઉદી અરેબિયા તેમજ કુવૈત જતી ફ્લાઇટ કેન્સલ થઇ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ રદ્દ કરવામાં આવી હતી. મોટાભાગના યાત્રિકોને કુવૈતથી સાઉદી અરેબિયા જવાનું હતું.