અમદાવાદ
અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે 3 થી 4 મહિનાની બાળકી મળી આવતા ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી મુજબ 12 જૂનના રોજ હરિદ્વારથી યોગ એક્સપ્રેસમાંથી બાળકી મળી આવી હતી.
આશરે 3 થી 4 મહિનાની બાળકીને તરછોડી જનાર માતા-પિતા વિરુદ્વ રેલ્વે પોલીસે ગુનો નોંધ્યો છે અને આ માસુમ બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ અજાણી બાળકી રેલ્વે સ્ટેશન પરથી મળતા આજુબાજુના લોકોમાં ચકચાર મચી ગઇ હતી. ત્યારે હવે આ માસુમ બાળકી કોની છે? બાળકીના માતાપિતા કોણ છે?ક્યા કારણોસર આ માસુમની આવી હાલત થઇ છે. જેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે..જેની પોલીસે તપાસ હાથ ધરી છે.