અમદાવાદ,
અમદાવાદમાં બોપલમાં 58 વર્ષિય સુરેશ ગોડ નામના વૃદ્ધે આપઘાત કર્યો છે. ઓર્કિટ એલિગન્સનાં 12મા માળેથી છલાંગ લગાવીને આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે.
મળતી માહિતી મુજબ, સોમવારની વહેલી સવારે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે 12માં માળેથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું. આ આપઘાત કેમ કર્યો તેનું રહસ્ય હજુ સુધી જાણવા મળ્યું નથી.
ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જો કે મૃતકનાં પુત્રે પિતાનાં આપઘાત બાબતે જણાવ્યું હતું કે તેઓ વોકિંગ કરતાં હતાં અને પડી ગયા છે. પોલીસે શંકાના આધારે હાલ તો તપાસ શરૂ કરી છે.