અમદાવાદ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર તેમનું મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્ય સચિવ જે એન સિંઘ તેમજ મેયર બિજલબેન પટેલ હાજર રહ્યાં હતાં.
સ્વાગત કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર જવા રવાના થયા હતાં..અને ટ્રેડ શોનું ઉદ્દઘાટન કર્યુ હતું.વડાપ્રધાન ટ્રેડ શૉના સ્થળે 45 મિનિટ સુધી રોકાશે વડાપ્રધાન સાંજે ચાર વાગે અમદાવાદ પરત આવશે.
તેઓ પાલડી ખાતે આવેલ નવી બનેલી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે ત્યાર બાદ તેઓ રીવર ફ્રન્ટ ઉપર એક જાહેરસભા પણ સંબોધશે ત્યારબાદ તેઓ રિવર ફ્રન્ટ પર જ ઉભા કરાયેલા શોપિંગ ફેસ્ટીવલનું ઉદ્ઘાટન કરશે અને સાંજે સાડા છ વાગ્યે ગાંધીનગર જવા રવાના થશે.પીએમ મોદી ઉદ્દઘાટન કરવાના હોવાથી ત્યાં તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે.