શ્રીનગર
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરમાં આતંકી હુમલાને લીધે ૩ લોકો ઘાયલ થઇ ગયા છે. ઝીરો બ્રીજ પાસે કેટલાક આતંકીઓએ સુરક્ષાબળના ગ્રેનેડ પર હુમલો કર્યો હતો. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુરક્ષાબળ દ્વારા હાલ આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. તો બીજી તરફ પાકિસ્તાન દ્વારા વારંવાર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર બદલ ભારતે પણ જવાબ આપ્યો છે.
ભારતીય સેનાએ છેલ્લા ત્રણથી ચાર દિવસોમાં પાકિસ્તાનના પાંચ સૈનિકોને ઠાર કર્યા છે. સેનાના જનરલ બિપિન રાવતના નિવેદન બાદ ભારતીય સેનાએ જવાબી ફાયરીંગ કર્યું હતું.