મંતવ્ય ન્યૂઝ,
વર્ષ ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન સમયે અમદાવાદના રામોલ વિસ્તારમાં તોડફોડ અને રાયોટીંગનો બનાવ બન્યો હતો. જેમાં આજે સેસન્સ કોર્ટે ૫ આરોપીઓને કેસમાંથી મુક્ત કર્યા છે. ૫ આરોપીઓને કેસમાંથી મુક્ત કરવા માટે સરકાર પક્ષ તરફથી કોર્ટમાં અરજી કરાઈ હતી. જે અરજીને સેસન્સ કોર્ટે માન્ય રાખી છે. નોંધનીય છે કે અગાઉ પણ આ જ મામલાની અંદર ૧૪ જેટલા આરોપીઓને બે જુદા જુદા કેસમાંથી મુક્ત કર્યા હતા. આ રીતે અત્યાર સુધીમાં કુલ ચાર જેટલા કેસોમાં કુલ ૧૯ જેટલા આરોપીઓને કેસમાંથી મુક્ત કરાયા છે.