આણંદ,
આણંદના વિદ્યાનગર પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિએ આપઘાત કર્યો હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. મહત્વની બાબત એ છે કે, આ ઘટનાને પોલીસ દ્વારા દબાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.
જણાવીએ કે આણંદની વિદ્યાનગર પોલીસ સ્ટેશન આ ઘટના બની હતી. આપઘાત કરનારના દિલિપ ભાઈ કટારાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરમસદ હોસ્પિટલ ખસેડાયો હતો. તો સમગ્ર મામલે કરમસદના ડીવાયએસપી બી.ડી.જાડેજા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
આપને જણાવી દઈએ કે દિલિપ ભાઈને પોલીસ કસ્ટડીમાં પૂછપરછ માટે લવામા આવ્યો હતો. ત્યારે તેને પોલીસ કસ્ટડીના બાથરૂમ જોડી તેને ઓઢેલી ચાદરથી ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.