રાજકોટ,
રાજકોટમાં ગણપતિ વિસર્જન દરમિયાન એક યુવાનનું ડૂબી જવાથી મોત થયું છે. ગણપતિના વિસર્જનમાં જવાનું કહીને નીકળેલા યુવનનું તળાવમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
આપને જણાવી દઈએ કે ગઈ કાલે વહેલી સવારથી રાજકોટ સહિત દેશભરમાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહી હતી. ત્યારે રાજકોટમાં વહેલી સવારથી ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે રાજકોટમાં એક અનિચ્છનીય બનાવ બન્યો ઘટના હતો.
આ વર્ષે વરસાદ સારો થતા ત્રંબા ત્રિવેણી નદી છલોછલ ભરાઈ ચૂકી છે. યુવાન તેના મિત્રો સાથે ગણપતિ વિસર્જનમાં જવાનું ઘરેથી કહી નીકળ્યો હતો. જે બાદમાં મિત્રો સાથે નદીમાં ન્હાવા પડ્યો હતો. જેના કારણે તેનું ડૂબી જતાં મોત નીપજ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
