સાબરકાંઠા,
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલું સ્વચ્છતા અભિયાન સાવ ખોરંભે ચડ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ખેડબહ્મા તાલુકા પંચાયતનાં સંકુલમાં આવેલા BRC ભવન આગળ કચરાના મસમોટા ઢગ જોવા મળી રહ્યા છે. આ બીઆરસી ભવનમાં તાલુકાના શિક્ષકોને અવારનવાર કોઈને કોઈ તાલીમ આપવામાં આવે છે. તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અવારનવાર સ્વચ્છતાના પાઠ શીખવાડવા માટે અભિયાન ચલાવવામાં આવે છે. પરંતુ આ શિક્ષકો જ સ્વચ્છતા અભિયાનને કોરાણે મૂકીને કચરાના ઢગ કરે છે. જેને કારણે રોગચાળો વકરે તેવી પણ શક્યતા દેખાઇ રહી છે. જો કે આ કચરાના ઢગ દૂર કરવા માટે સ્થાનિકોએ તંત્રના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ તંત્રના અધિકારીઓ માત્ર આખ આડા કાન કરી રહ્યા છે.