Not Set/ CM રૂપાણી ઇઝરાયેલના છ દિવસના પ્રવાસે જવા રવાના

અમદાવાદ: ગુજરાતના CM વિજય રૂપાણી આજથી છ દિવસના ઈઝરાયેલના પ્રવાસે જવા રવાના થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદની તેમની પ્રથમ વિદેશ મુલાકાત છે. મુખ્યમંત્રી સાથે કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ ઈઝરાયેલના તેલ અવીવ જવા રવાના થયું છે. મુખ્યમંત્રી રૂપાણીની સાથે કૃષિ રાજ્ય મંત્રી […]

Top Stories Ahmedabad Gujarat Trending Politics
CM Rupani go for Israel on a tour

અમદાવાદ: ગુજરાતના CM વિજય રૂપાણી આજથી છ દિવસના ઈઝરાયેલના પ્રવાસે જવા રવાના થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદની તેમની પ્રથમ વિદેશ મુલાકાત છે. મુખ્યમંત્રી સાથે કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ ઈઝરાયેલના તેલ અવીવ જવા રવાના થયું છે.

મુખ્યમંત્રી રૂપાણીની સાથે કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર, અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ, અગ્ર સચિવ જે. પી. ગુપ્તા, ગૃહ સચિવ મનોજ અગ્રવાલ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, ગુજરાત એગ્રોના એમ.ડી. મહમંદ શાહિદ, રેસિડેન્ટ કમિશનર આરતી કંવર, ખેતી નિયામક ભરત મોદી અને બાગાયત નિયામક વઘાસિયા પણ જોડાયા છે.

મુખ્યમંત્રીને એરપોર્ટ પર મંત્રીમંડળના મંત્રીઓ સૌરભ પટેલ સહિતના મંત્રીઓ, મુખ્ય સચિવ જે. એન. સિંઘ, અમદાવાદ કલેકટર સહિતનાએ શુભેચ્છા વિદાય આપી શુભકામના પાઠવી હતી. આગામી રવિવાર ૧ જુલાઈએ મુખ્યમંત્રી રૂપાણી અને તેમનું પ્રતિનિધિ મંડળ ગુજરાત પરત આવશે.

મુખ્યમંત્રી અને તેમના પ્રતિનિધિમંડળ આ સમગ્ર ઈઝરાયેલ પ્રવાસ દરમિયાન કૃષિ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ઈઝરાયેલની અદ્યતન ટેક્નોલોજી અને અનુભવો વિષયક જ્ઞાન-માહિતીનો વિનિયોગ કેન્દ્રસ્થાને રહેશે. ભારત અને ઈઝરાયેલના રાજદ્વારી સંબંધોના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીની આ ઈઝરાયેલ મુલાકાત સવેળાની અને મહત્વપૂર્ણ બની રહેશે.

સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઈઝરાયેલ જનાર આ પ્રતિનિધિમંડળની ઈઝરાયેલના કૃષિ પ્રધાન યુરી એરિઅલ, વિદેશ તથા આંતરરાષ્ટ્રીય સહકાર પ્રધાન ગીલ હસ્કેલ અને આર્થિક બાબતો તથા ઉદ્યોગ મંત્રાલયના પ્રધાન ઇલી કોહેન સાથે દ્વિપક્ષીય બેઠકો યોજાશે. તેમજ ઈઝરાયેલના સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ચર્ચા-વિચારણા કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી ઈઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ, એલ્બિટ સિસ્ટમ્સ, મોબિલઆઇ કોર્પોરેશનની મુલાકાત લઇને ‘મેક ઇન ગુજરાત’ના ભાગરૂપે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પારસ્પરિક સહયોગના અવસરોની સંભાવનાઓ ચકાસશે.

આ યાત્રા દરમિયાન ગુજરાતનું પ્રતિનિધિમંડળ વોટર ટેક્નોલોજિઝ અને ઇનોવેશન્સનો ગહન તાગ મેળવવા ઈઝરાયેલમાં ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોરેક ડિસેલિનેશન પ્લાન્ટ, નાનડેન જૈન ઇરિગેશનની મુલાકાત લેવાનું છે. ઈઝરાયેલ પણ કૃષિ ટેક્નોલોજી ક્ષેત્રે પોતાના નવિનતમ આવિષ્કારોથી આ પ્રતિનિધિ મંડળને માહિતગાર કરશે.

ઉલ્લેખનીય છે કે કૃષિ ક્ષેત્ર એ ભારત અને ઈઝરાયેલ વચ્ચેની ભાગીદારીનું મહત્વનું ક્ષેત્ર છે. પીએમ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો  લક્ષ્યાંક રાખ્યો છે તેની પૂર્તતા માટે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા અને નફાકારકતા વધારવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે તેવા સમયે વિજય રૂપાણીની અધ્યક્ષતામાં પ્રતિનિધિમંડળની આ મહત્વપૂર્ણ ઈઝરાયેલ મુલાકાત યોજાઇ રહી છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ઈઝરાયેલ ના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહૂની તાજેતરની ભારતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલી પ્રધાનમંત્રીએ સંયુક્તપણે કૃષિ અને જળ ક્ષેત્રમાં પાંચ વર્ષ માટે સહયોગ આયોજનની ઘોષણા કરી હતી.

હવે, સીએમ રૂપાણી અને ગુજરાત પ્રતિનિધિમંડળની આ મુલાકાત આધુનિક કૃષિ સિંચાઇ, જળ વ્યવસ્થાપન, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડિસેલિનેશન પ્લાન્ટ્સ અને એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ જેવા બહુધા ક્ષેત્રોમાં ગુજરાત- ઈઝરાયેલ સહભાગીતાનો નવો અધ્યાય રચશે.

મુખ્યમંત્રીનું આ પ્રવાસ દરમિયાન ભારતીય સમુદાયના ઈઝરાયેલમાં વસતા નાગરિકો સાથે સ્નેહમિલન યોજાયું છે. સીએમ રૂપાણી અને પ્રતિનિધિમંડળ તેલ અવીવ મ્યુનિસિપાલિટીના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની તેમજ ડાયમંડ બુર્સની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત ઇનોવેશન બ્રિજના ઇઝરાયલી વિજેતાઓ સાથે પણ મુખ્યમંત્રીની બેઠક-મુલાકાત યોજવામાં આવી છે.