વૈશ્વિક મહામારી કોરોનાએ ગુજરાત રાજ્યમાં કાળો કહેર વરસાવ્યો છે. રાજ્યમાં કોરોનાનો કહેર ફરી એક વાર વધતો નજર આવી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગ ના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૧૧૩૭ નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ નોધાયેલા કેસની સંખ્યા ૧૬૨૯૮૫ ઉપર પહોંચી છે.
તોસાથે સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૯ લોકોના કોરોનાએ ભોગ લીધો છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1180 છે. તો ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 145107 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14215 છે.