Not Set/ ગાંધીધામ : ટ્રકની ટક્કર વાગતા જૈન સાધ્વીનું મોત, જૈન સમાજ શોકમાં ગરકાવ

કચ્છના ગાંધીધામના ભચાઉ રાધનપુર હાઈવે પર ટ્રકે એક જૈન સાધ્વીને ટક્કર મારતા તેમનું મોત થયું છે. લાકડિયાથી ચિત્રોડાગામ વિહાર કરતા વાગડ સમુદાયના ભગવંત પૂર્ણશ્રદ્ધાશ્રીજીને એક ટ્રકે ટક્કર મારી હતી. જેથી સારવાર માટે એમને ભચાઉની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયું હતું. ગાંધીધામના લાકડીયાથી ચિત્રોડાગામ તરફ વિહાર કરી રહેલા જૈન સાધ્વીને ટ્રક દ્વારા […]

Top Stories Gujarat Others
Gandhidhan Jain Sadhvi ગાંધીધામ : ટ્રકની ટક્કર વાગતા જૈન સાધ્વીનું મોત, જૈન સમાજ શોકમાં ગરકાવ

કચ્છના ગાંધીધામના ભચાઉ રાધનપુર હાઈવે પર ટ્રકે એક જૈન સાધ્વીને ટક્કર મારતા તેમનું મોત થયું છે. લાકડિયાથી ચિત્રોડાગામ વિહાર કરતા વાગડ સમુદાયના ભગવંત પૂર્ણશ્રદ્ધાશ્રીજીને એક ટ્રકે ટક્કર મારી હતી.

જેથી સારવાર માટે એમને ભચાઉની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયું હતું.

ગાંધીધામના લાકડીયાથી ચિત્રોડાગામ તરફ વિહાર કરી રહેલા જૈન સાધ્વીને ટ્રક દ્વારા ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર અર્થે ભચાઉ ખાતે આવેલી હોસ્પિટલમાં તેમને ખસેડાતા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.

ઘટનાને પગલે જૈન સમુદાયમાં રોષની લાગણી વ્યાપી છે. જૈન સમાજ દ્વારા ટ્રક ડ્રાઇવરને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.