Not Set/ પરપ્રાંતીયો પર હુમલા મામલે આક્ષેપ-પ્રતિઆક્ષેપ, નીતિન પટેલ સામેના આક્ષેપો ચુડાસમાએ ફગાવ્યા

ગાંધીનગર, પરપ્રાંતીયો પર હુમલા મામલે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. અલ્પેશ ઠાકોરે નીતિન પટેલ સામે આક્ષેપ કર્યા છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નીતિન પટેલના બચાવમાં આવ્યા. સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, આઝાદી પછી કોમવાદ, નાત જાત પર રાજકારણ કરવું કોંગ્રેસની નીતિ રહી છે. પોલીસ તપાસમાં કોંગ્રેસના આગેવાન અને કાર્યકરોના નામ ખુલ્યા છે..17 […]

Top Stories Gujarat
mantavya 222 પરપ્રાંતીયો પર હુમલા મામલે આક્ષેપ-પ્રતિઆક્ષેપ, નીતિન પટેલ સામેના આક્ષેપો ચુડાસમાએ ફગાવ્યા

ગાંધીનગર,

પરપ્રાંતીયો પર હુમલા મામલે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. અલ્પેશ ઠાકોરે નીતિન પટેલ સામે આક્ષેપ કર્યા છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નીતિન પટેલના બચાવમાં આવ્યા. સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કર્યા.

તેમણે કહ્યું કે, આઝાદી પછી કોમવાદ, નાત જાત પર રાજકારણ કરવું કોંગ્રેસની નીતિ રહી છે. પોલીસ તપાસમાં કોંગ્રેસના આગેવાન અને કાર્યકરોના નામ ખુલ્યા છે..17 મી સપ્ટેમ્બરે બહુચરાજી ખાતે અલ્પેશ ઠાકોરે ભાષણ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે કંપનીઓના દરવાજા તૂટશે. હું લાકડી લઈશ, ત્યારે મારા લોકો તલવાર લઈને નીકળશે. તેના આવા નિવેદન પછી પરિસ્થિતિ વણસી છે. નીતિન પટેલ પર કરાયેલા  આક્ષેપોને ભૂપેન્દ્રસિંહે  વખોડ્યા સાથે જ ગુજરાતવાસીઓને તેમણે નવરાત્રિની શુભકામના પણ પાઠવી હતી.

ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ વતી નિવેદન આપતા મુકેશ ભરવાડે કહ્યું હતું કે, પ્રરપ્રાંતિયોને રોકવા માટે સરકારે રાહત કેમ્પો શરૂ કરવા જોઈએ. આ માટે અમે સરકારને આજ સાંજ સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ. સરકારે તેમના રોકવા માટે કોઈ પગલાં ભર્યા નથી. આ લોકો પાકિસ્તાનના નહીં પરંતુ ભારત દેશના નાગિરકો છે. તમામને અહીં રહેવાનો અધિકાર છે.