સોમનાથ,
મહાશિવરાત્રીના પર્વને લઇને પ્રથમ જ્યોતિલિંગ સોમનાથમાં વહેલી સવારથી જ શિવભક્તો ઉમટી પડ્યા છે. સવારે 4 વાગ્યાથી જ ભાવિક ભક્તોની લાંભી કતારો જોવા મળી હતી.
દોઢ કિલોમીટર લાંબી લાઇનમાં ઉભા રહેલા ભક્તોએ હર હર મહાદેવ અને જય ભોલે જય ભોલેના નારા લગાવ્યા હતા. સોમનાથ મહાદેવની પ્રાત: આરતી અને શૃંગાર આરતીના દર્શન કરીને શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી.
આજની આરતી અને મહાપુજા કરવાના સમયનો કાર્યક્રમ
- વહેલી સવારે 4 વાગ્યે મંદિર ખુલ્યા
- સવારે 6 વાગ્યે પ્રાતઃ મહાપૂજા
- પ્રાતઃ આરતી સવારે 7 વાગે
- સવારે 7.30 કલાકે મહામૃત્યુંજય યજ્ઞ શરૂ
- સવારે 8 વાગ્યે નૂતન ધ્વજારોહણ થશે
- સવારે 8.30 કલાકે હોમાત્મક લઘુરુદ્ર યોજાશે
- સવારે 9.00 કલાકે સોમનાથ દાદાની પાલખીયાત્રા સોમનાથ મંદિર પરિસરમાં યોજાશે
- સવારે 9.00 કલાકે ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ વેરાવલથી થશે
- મધ્યાહ્ન મહાપૂજા સવારે 11.00 કલાકે શરૂ થશે
- મધ્યાહ્ન આરતી બપોરે 12.00 કલાકે થશે.