વર્ષ 2001ના જાન્યુઆરી માસની 26મી તારીખે આવેલા ભયાનક ભુકંપની 18મી વરસી આવતાં જ લોકોના માનસ પર ભયાનકતાના દ્રશ્યો છવાઈ જાય છે. યોગાનુયોગ 26 જાન્યુઆરી 2001ના રોજ શુક્રવાર હતો અને વર્ષ 2018ના જાન્યુઆરી માસની 26મી તારીખે પણ શુક્રવાર છે અને આજે ગુજરાતમાં ફરી તે યાદો તાજી થઈ ગઈ છે.
રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં ભુંકપના ઝટકા અનુભવાયા છે. આ ભુંકપ શુક્રવાર બપોરે 2.1ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. લોકો ડરના કારણે ઘરની બહાર આંવી ગયા હતાં.
ભૂકંપનું કેન્દ્ર તાલાલાથી 13 કિલોમીટર દુર માનવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથમાં 2.1ની તીવ્રતાનો ભૂંકપ માનવામાં આવી રહ્યો છે. કોઈ પણ પ્રકારની નુકશાની ભૂકંપના કારણે થઈ હોય તેવી માહિતી નથી મળી રહી.