@નિકુંજ પટેલ
પોલીસનું કામ ગુનેગારોને પકડવાનું અને કાયદો વ્યવસ્થા જાળવવાનું છે. પરંતુ જો પોલીસ જ કાયદો હાથમાં લે અને સામાન્ય નાગરિકને પરેશાન કરે તો શું ? પરંતુ ગુજરાત સરકારે હવે એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. આ નંબર પર પોલીસથી પરેશાન કોઈપણ વ્યક્તિ ડાયલ કરી શકશે.
ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર 14449 જાહેર કર્યો છે. જેને પગલે નાગરિકો હવે આ નંબર પર પોલીસ વિરૂધ્ધ ફરિયાદ કરી શકશે. પોલીસ દ્વારા દમન કરાય કે પોલીસ તરફથી કોઈ પરેશાની હોય તો લોકો આ નંબર પર મદદ માંગી શકશે.
આ અંગે સરકારે ગુજરાત હાઈકોર્ટમાં માહિતી આપી હતી. આ હેલપલાઈન નંબર પાંચ દિવસમાં એક્ટિવ થઈ જશે. બાદમાં નાગરિકો તેના આધારે પોલીસ વિરૃધ્ધ ફરિયાદ કરી શકશે.
આ પણ વાંચો:pocso/કર્ણાટકમાં 9માં ધોરણની વિદ્યાર્થીનીએ આપ્યો બાળકને જન્મ
આ પણ વાંચો:AKASH-NG MISSILE TEST/ભારતે બતાવી તેની કુશળતા, નીચા ઉડતા એરિયલ ટાર્ગેટને AKASH-NG એ તોડી પાડ્યું અને તેની…..
આ પણ વાંચો:Youth Power-PM Modi/યુવાનો તીર્થસ્થળો પર સ્વચ્છતા અભિયાન ચલાવેઃ પીએમ મોદી