ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્ય સરકાર તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે, અનેક લોકર્પણ સાથે પ્રજાલક્ષી કામો ને મંજૂરી આપતા હાલ જોવા મળી રહ્યા છે, ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. સરકારી પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભરતી માટેની ઉંમર મર્યાદાની છૂટછાટની મુદ્દત લંબાવી દેવામાં આવી છે.ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ ગુજરાત સરકારે આપી છે. અગાઉ કોવિડ મહામારીને કારણે ભરતી પાછી ઠેલાતા છૂટછાટ અપાઈ હતી. જેણે ફરી લંબાવી દેવામાં આવી છે. 1 સપ્ટે 2022 થી એક વર્ષ સુધી ભરતીમાં નિયમ લાગુ પડશે, 31 ઓગસ્ટ 2023 સુધીની ભરતી માટે નિયમ લાગુ પડશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.
1 સપ્ટે 2022 થી એક વર્ષ સુધી ભરતીમાં નિયમ લાગુ પડશે, 31 ઓગસ્ટ 2023 સુધીની ભરતી માટે નિયમ લાગુ પડશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.