અમદાવાદ,
રાજ્યમાં આવેલા વાતાવરણમાં પલટાને કારણે કમોસમી વરસાદ પડ્યો હતો.પરંતુ હવે વાતાવરણ સામાન્ય બન્યું છે.વાદળછાયા વાતાવરણ આજે વાતાવરણ સાફ દેખાઇ રહી છે.જેથી ફરી એક વખત લોકોને સૂર્ય પ્રકોપ સહન કરવો પડશે.ઉલ્લેખનીય છે કે આવનારા એક થી બે દિવસમાં ગરમીનો પારો ફરી એક વખત ઉંચકાશે અને 40 થી 41 ડિગ્રી જેટલું તાપમાન રહેશે.