બનાસકાંઠાઃ થરાદના રાહ નજીક અકસ્માત
જીપચાલકે કાબુ ગુમાવતા અકસ્માત
અકસ્માતમાં એકનું મોત,બે લોકો ઈજાગ્રસ્ત
બનાસકાંઠામાં અકસ્માતમાં એક વ્યક્તિના મોતના સામાચાર સામે આવ્યા છે. જીપચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માતમાં જીપમાં બેઠલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે બે લોકોના ઘાયલ થવાના સમાચાર મળી રહ્યા છે.
આ ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો છે. અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આપને જણાવી દઈએ કે બનાસકાંઠાના થરાદના રાહ નજીક આ અકસ્માત આજે વહેલી સવારે સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છેતું જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.ઘાયલ થયેલા બે વ્યક્તિઓને સારવારમાટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મહત્વનું છે કે રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધરો જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન