જૂનાગઢ,
જૂનાગઢના લુશાળમાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે.દિલીપભાઇ નામના ખેડૂતે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતુ.આર્થિક સંકડામણને કારણે આ પગલું ભરતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુનાગઢવા વંથલીના લુશાળા ગામમાં આજે એક ખેડૂતે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે, દિલીપભાઈ ટાટમીયા પોતાના બંને ભાઈઓ સાથે અઢી વીધા જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવતા હતા અને તેમના પત્ની 15 વર્ષ પહેલા અવસાન પામેલા હતા, જેથી તેઓ માનસિક તણાવમાં રહેતા હતા, ત્રણ ભાઈઓ વચ્ચે માત્ર અઢી વિઘા જમીન હોવાથી તેઓ આર્થિક રીતે ખેંચ અનુભવતા હતા, જેના કારણે આ ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે.