કેશોદ
કેશોદ તાલુકાનું પાંચાળ ઘેડ સરકારની અણઘડ નીતિનો ભોગ બન્યું છે. ગામ નજીકનો વીસ ગામોને જોડતો પુલ જેની એક સાઈડ રેલીંગ ન હોવાથી અકસ્માત સર્જાવાનો ડર સતાવી રહ્યો છે.
ગામજનો દ્વારા તંત્રને અનેક વખત રજુઆત કરવામાં આવી છે છતા તંત્ર ધ્યાન આપતુ નથી. તંત્ર દ્વારા પુલની માત્ર એક જ બાજુ રેલિંગ બનાવવામાં આવી છે. પુલની બીજા ભાગની રેલિંગ નહીં બનતા ગ્રામજનો ને પુલ ઓળંગવામાં પણ જોખમ ઉભું થયુ છે.
તો પશુઓને પણ નદીમાં ખાબકવાનો ડર સતાવે છે. પૂરના કારણે અમુક માણસો પણ તણાય જવાની ભીતિ ગ્રામ જનો ભોગવી રહ્યા છે. જે બાબતે ગ્રામજનો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહયા છે.
કેશોદ તાલુકાનાના ઘેડ સહિતના વિસ્તારોમાં એક સપ્તાહમાં ત્રીશ ઈચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યા હતા. અનેક ગામો બેટમાં ફેલાવાયાછે ઘેડ પંથકમાં જ્યાં નજર કરો ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.