Not Set/ મોદી સરકાર અમારા જેવા સાધારણ લોકોથી ડરેલી છે : કનૈયા કુમાર

રાજકોટ, રાજકોટમાં બુધવારે રાષ્ટ્રવાદી યુવા મંચ દ્રારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભાગ લેવા પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ અને દિલ્હીના જેએનયુના નેતા કનૈયા કુમાર હાજર રહ્યાં હતા. કનૈયા કુમારે મીડીયાને સંબોધતા ભાજપ અને પીએમ મોદી પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે મોદી સરકાર અમારા જેવા સાધારણ લોકોથી ડરી ગઇ છે.દેશમાં અમે […]

Top Stories Gujarat Rajkot
yy 4 મોદી સરકાર અમારા જેવા સાધારણ લોકોથી ડરેલી છે : કનૈયા કુમાર

રાજકોટ,

રાજકોટમાં બુધવારે રાષ્ટ્રવાદી યુવા મંચ દ્રારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભાગ લેવા પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ અને દિલ્હીના જેએનયુના નેતા કનૈયા કુમાર હાજર રહ્યાં હતા.

કનૈયા કુમારે મીડીયાને સંબોધતા ભાજપ અને પીએમ મોદી પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે મોદી સરકાર અમારા જેવા સાધારણ લોકોથી ડરી ગઇ છે.દેશમાં અમે જે બંધારણ બચાવવાની કોશિષ કરી રહ્યાં છીએ તેનાથી સરકાર ડરેલી છે.અમે કોઇ બાહુબલી ખાનદાનથી નથી આવતાં એટલે જ સરકાર અમારાથી ડરેલી છે.

કનૈયા કુમારે પોતાની વ્યક્તિગત લાઇફ વિશે જણાવતાં કહ્યું કે મારા નાનાજી સ્વાતંત્ર સેનાની હતા.મારો એક ભાઇ સીઆરપીએફમાં હતો અને વીરગતિએ પહોંચ્યો હતો.મારી માતા આંગણવાડીનું કામ કરીને મહિને 3 હજાર કમાય છે.સરકાર અમારા ઘરે સીબીઆઇ મોકલે કે ઇન્ક્મટેક્સ.અમારા ઘરેથી કશું પકડાવવાનું નથી.

કનૈયા કુમારે મોદી પર નિશાન તાકતા  કહ્યું કે જો તમારી 56 ઇંચની છાતી છે તો અમને કેમ ખુલ્લા ફરવા દે છે.જો તમારી 56 ઇંચની છાતી હોય તો અમને પકડો. તમે શું કરી શકશો અમને મારી નાખશો.જો મારી નાંખશો તો તમારૂ નામ હત્યારામાં કહેવાશે. અને અમારૂ નામ લોકોને બચાવવામાં ગણાશે. આ ગબ્બરસિંહ છે કે શું કે બચ્ચા રોતા હૈ તો લોકો કહે છે મોદી આવી જશે.

કનૈયા કુમારે કહ્યું હતું કે અમે દેશભરમાં સંવિધાન બચાવો.દેશ બચાવોના નારા સાથે લોકો સાથે સંવાદ કરી રહ્યાં છીએ.વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ દેશને બરબાદ કરી રહ્યાં છે.ગુજરાતની છબી જ દેશના વડાપ્રધાને જ બગાડી છે.

કનૈયા કુમારે પીએમ મોદી પર આરોપોનો મારો ચાલુ રાખતા કહ્યું કે આ સરકાર દેશદ્રોહના ખોટા કેસો કરાવે છે પરંતું હવે દેશદ્રોહનો ઢોલ ફાટી જશે.