અમદાવાદ,
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘસંચાલક મોહન ભાગવત અને બીજા મોટા નેતાઓ અમદાવાદ ખાતે 2 અને 3 ફેબ્રુઆરીએ મળનારા હિન્દુત્વના સેમિનારમાં ભાગ લેશે.આ સેમિનાર ભારતીય વિચારમંચનાં ગુજરાત વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે.
જો કે શનિવારે મોહન ભાગવતનું ફ્લાઇટ મોડુ પડતાં તે કાર્યક્રમમાં મોડા પહોંચ્યા હતા.મોહન ભાગવત રામ મંદિર વિશે શું બોલે છે તેની પર સૌની નજર છે.મોહન ભાગવત રવિવારે તેમનું લેક્ચર આપશે.
આરઆરએસના ગુજરાત પ્રાંતના આધિકારિકમાં બયાનમા જ્ણાવ્યું છે કે વર્તમાન સંદર્ભમાં હિન્દુત્વ વિષય પર સેમિનાર છે.હિંદુત્વના આર્થિક, સામાજિક ,શૈક્ષણિક અને રાજકીય વિષય પર ચર્ચા કરશે. સેમિનાર ગુજરાત યુનિવર્સિટીના કન્વેનશન હોલમાં આયોજિત કર્યો છે.