અરબી સુમુદ્રમાં સર્જાયેલી ઓખી વાવાઝોડાના પગલે હવામાન વિભાગે 24થી 48 કલાકમાં વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારે ત્રાટકી શકે છે અને સંભવતઃ 50 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ખાસ કરીને દરિયામાં માછીમારી કરવા ના જવાની ચેતવણી આપવામાં આવી છે અને નજીકના બંદરો પર પોહંચી જવા જણાવવામાં આવ્યું છે. ગુજરાતની ડિઝાસ્ટર મેનજમેન્ટની તાત્કાલિક બેઠક મળી હતી. રાજ્યના સુરતની આજુબાજુના દક્ષીણ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાની અસર શરુ થશે તેવી સંભાવના કરી છે.
વેરાવળ બંદરની ૧૮૯૮ ફિશિંગ બોટો દરિયામાં ગઈ હતી. જેમાંથી ૧૦૩૦ બોટ પરત આવી ગઈ છે. જયારે ૮૬૦ બોટોને કોસ્ટગાર્ડની મદદથી જુદા જુદા બંદરો પર સહીસલામત લાવી દેવાઈ છે.
અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં ઝરમર વરસાદ શરુ થઈ ગયો છે.અનેક રાજ્યોમાં ઝરમર વરસાદ શરુ થઈ ગયો છે. વાવાઝોડું દક્ષીણ ગુજરાતમાં ત્રાટકશે તેવી શક્યતા છે. હજી ગુજરાતથી ૭૫૦કિમિ દુર છે તેવું કહેવામાં આવી રહ્યું છે. આજે ગુજરાતનો દરિયો તોફાની બની રહેશે.