બનાસકાંઠા,
બનાસકાંઠાના પાંથાવાડમાં 50થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. મળતી માહિતી અનુસાર લારી ઉપર વહેચાતી પકોડી ખાવાથી 2 દિવસમાં નાના બાળકો સહિત 50 લોકોને ફૂડ પોઇઝનિંગના કેસ નોંધાયા છે. હાલ ફૂડ પોઈઝેનિગનો શિકાર બનેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટનાને લઈને આરોગ્ય વિભાગની બેદકારી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના પાંથાવાડમાં પાણીપુરી ખાવાથી છેલ્લા બે દિવસથી 50 કરતા પણ વધુ લોકોને ફૂડ પોઈઝેનિગ થયું હોવાની માહિતી મળી રહી છે. જેમાં મહિલાઓ, નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. ઉલેખનીય છે કે આ બનાવથી આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવે છે અને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.