બોટાદના બરવાળા ચોકડી પાસે પોલીસ વાન અને રીક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે ચાર લોકો ઇજા થઈ હતી. તમમા ઇજાગ્રસ્તોને બોટાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર પોલીસ વાન અને રીક્ષા વચ્ચે જોરદાર અકસ્માત એક રિક્ષા સવારનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અન્ય બે લોકોના સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
આ ઉપરાંત ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસ વાન અને રીક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રીક્ષાના ભુક્કા બોલી ગયા હતા. રોડ પર પડેલી માટીના કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસામાં સામે અવાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
