દહેગામ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે રાજકીય પક્ષો પોત પોતાના દાવ પેચ રમી રહ્યાં છે. દહેગામમાં રાહુલ ગાંધીએ સભાનું સંબોધન કર્યું હતું. તેમણે ભાજપ સરકાર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, PM મોદી મનકી બાત કરવામાં વ્યસ્ત રહે છે. આ ગુજરાતનુ નહી મોદી -રૂપાણી મોડલ છે. મોદી-રૂપાણી મોડલથી તમને કશુ નહી મળે. આજે ગુજરાતમમાં 30 લાખ લોકો બેકાર છે. વડાપ્રધાન જય શાહ મુદ્દે કેમ બોલતા નથી. વધુમાં નિર્મલા સિતારામનના 5 સવાલો પર રાહુલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાફેલ ડીલ અંગે જરૂરી મંજૂરી લીધી હતી કે નહી. રાફેલ ડીલ દેશને સસ્તી પડી કે મોધી. જેવા સવાલો કર્યા હતા, અને ભાજપ પર તીક્ષણ વાર કર્યાં હતાં.