રાજકોટના કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમા ડ્રાઇવર સહિત બે લોકોના મોત નિપજ્યાં હતા. અને 6 લોકોને ઇજા પહોચી હતી.
મળતી વિગત મુજબ ઝાલોદ-જામનગર રૂટની બસનો માલીયાસણ પાસે ટ્રક સાથે અકસમાત સર્જાયો હતો. જેમાં નવીનચંદ્ર કનુભાઇ મકવાણા અને નરવત વેસ્તા તડવીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે દુલા નરવત, જીગા નરવત, દાદુસિંહ ચૌહાણ સહિત 6 લોકોને ઇજા પહોંચી હતી.
ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસમા 50 જેટલા મુસોફરો સવાર હતા. જેમાંથી 6 લોકોને ઇજા પહોચી હતી. જેમાં એક- બે લોકોને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બનાવના પગલે તાકીદે પોલીસ દોડી ગઇ હતી. અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે.