રાજકોટ,
એસટી કર્મચારીઓની હડતાળ ઉગ્ર બની રહી છે. સરકારે એસટીના ફિક્સ કર્મચારીઓને નોટીસ પાઠવી છે. એસટીના કર્મચારીઓએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને માર્ગ પરિવહન મંત્રીના ફોટાને શ્રદ્ધાંજલિ પાઠવી વિરોધ ઉગ્ર બનાવ્યો છે.
રાજકોટ એેસટી કર્મચારીના મજૂર મહાજન મંડળનાં મહામંત્રીએ રાજ્ય સરકારને જણાવ્યુ કે જ્યા સુધીની તેઓની માંગ નહી સંતોશાય ત્યા સુધી લડત ચાલુ રહેશે.
ઉમેશપરી ગોસાઇએ જણાવ્યુ કે સરકારે પ્રાઇવેટ એસોસીએશનને જણાવ્યુ કે તમે તમારી બસો ચાલુ કરો પરંતુ તેઓએ પણ એસટી કર્મચારીઓને ટેકો જાહેર કર્યો છે. ઓછા ભાડામાં પોશાય તેમ નથી..નહી નફો નહી નુકશાન રીતે બસો ચાલે છે.
ઉલ્લેખનીય છે કે સરકારના અક્કડ વલણ સામે એસ.ટી. કર્મચારીઓની મક્કમતા વચ્ચે નિર્દોષ મુસાફરોએ પીસાવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થી, નોકરીયાત, વેપારી, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
હાલ લગ્નની સીઝન પણ ચાલી રહી છે તેમાં પણ લોકોની અવર જવરમાં તકલીફ પડે છે. તો જોવાનું એ જ રહ્યું કે આ પરિસ્થિતિમાં કોની જીત થશે સરકારની, કર્મચારીઓની કે પછી ત્રીજો જ રસ્તો આવશે?