GST Raid: ગુજરાત સ્ટેટ GST વિભાગ કરચોરી રોકવા માટે કટિબદ્ધ છે. આ અંતર્ગત, GST વિભાગે રાજ્યમાં ઘણી જગ્યાએ દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી છે. આપને જણાવી દઈએ કે, GST વિભાગે અમદાવાદ, સુરત, વાપી અને વ્યારામાં 14 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા પહોંચ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન, GST વિભાગ દ્વારા અંદાજિત 9.11 કરોડ રૂપિયાની કરચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.
કરચોરી એટલે કે બિલ વિના વેચાણ અટકાવવા માટે ગુજરાત રાજ્ય GST વિભાગ દ્વારા 21 જાન્યુઆરી, 2025 ના રોજ રસાયણો, ભેટ વસ્તુઓ અને રમકડાં, ઇલેક્ટ્રોનિક્સ, બ્યુટી પાર્લર અને માનવશક્તિ સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કુલ 14 વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. વિગતો અનુસાર, આ 14 વેપારીઓમાંથી 8 વેપારીઓ અમદાવાદમાં, 3 વેપારીઓ સુરતમાં, 2 વેપારીઓ વાપીમાં અને 1 વેપારી વ્યારામાં હતા.
વિગતો અનુસાર, તપાસ દરમિયાન બિનહિસાબી વેચાણ અને કર જવાબદારીનું ઓછું રિપોર્ટિંગ જેવી ગેરરીતિઓ મળી આવી હતી. આ કાર્યવાહી દરમિયાન, GST વિભાગે અંદાજિત રૂ. 1,000 કરોડનો દંડ વસૂલ કર્યો હતો. રૂ. 9.11 કરોડની કરચોરી શોધી કાઢવામાં આવી છે. રાજ્યના કર વિભાગે સરકારી મહેસૂલનું રક્ષણ અને વસૂલાત કરવા માટે આ મામલે યોગ્ય કાનૂની કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો:અમદાવાદના વટવામાં SGSTના દરોડા, વેપારીઓમાં ફફડાટ
આ પણ વાંચો:ગોધરામાં CGSTના દરોડા, કરચોરી કરનારા વેપારીઓમાં ફફડાટ
