સુરત,
સુરતની તક્ષિસલા આર્કેડમાં થયેલ ભયંકર અગ્નિકાંડમાં એક વ્યક્તિએ પોતાના દમ પર 7 બાળકો અને સ્ટાફનો જીવ બચાવ્યો છે. આ પ્રયાસમાં તેમના માથામાં ઈજા થઈ છે. તેમની સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવીએ કે આ અકસ્માતમાં શુક્રવારે 20 બાળકોનું મૃત્યુ થયું છે. હાલ તો ક્યાં કરને આ આગ લાગી છે તે સ્પષ્ટ થયું નથી. સુરત પોલીસ દ્વારા કોમ્પ્લેક્સના બિલ્ડરો હર્ષલ વકેરિયા અને જિજ્ઞેશ ઉપરાંત કોચિંગ સેન્ટરના માલિક ભાર્ગવ ભુટાની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

25 વર્ષના ડાયરેક્ટરે બચાવ્યો બાળકોનો જીવ
તક્ષિસલા આર્કેડમાં લગભગ 70 ઓફિસો અને દુકાનો સ્થિત છે. જ્યારે બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી તે સમયે ડિઝાઇન ઇન્સ્ટિટ્યુટના 25 વર્ષના ડિરેક્ટર જતિન નકરાની ત્યાં જ હાજર હતા. તેમણે તરત જ ક્લાસ ખાલી કરાવ્યો અને પાંચ બાળકોને બચાવ્યા. વધુ બે બાળકોને બચાવવા માટે તેઓ ઉપરના માળે પહોંચ્યા. તેઓએ બાળકોને બચાવ્યા પરંતુ પડવાના કારણે તેઓ ઘાયલ થયા. સંસ્થાના એક કર્મચારીએ જણાવ્યું હતું કે, “આગથી બચવા માટે ભગવાનો પ્રયાસ જતિનના માથામાં ઈજા થઇ અને તેઓને હેમરેજ થયું છે. તેઓનું મહાવીર હોસ્પિટલમાં સારવાર થઇ રહી છે.

નકરાની ઉપરાંત કેતન જોરવાડિયાએ પણ ચોથા અને ત્રીજી માળની વચ્ચે લટકતી બે છોકરીઓને પણ બચાવી. આ છોકરીઓ ચોથા માળની છત પરથી છલાંગ ગળવી હતી. પછીથી ફાયર ફાયટરની ટીમે ત્રણને બચાવ્યા. તેઓએ કહ્યું, “બંને છોકરીઓ કૂદવાથી ડરી રહી હતી. મેં તેમને પકડીને તેમને ફાયરમેન પાસે પહોંચાડી.
કેતનએ અકસ્માત વિશેની માહિતી આપતા કહ્યું, “ત્યાં ધુમાડો હતો. મને ખબર ન હતી કે શું કરવું. મેં સીડીની મદદથી પહેલાં બાળકોને નીકળવાનો પ્રયાસ કર્યો. આ રીતે હું 8 થી 10 લોકોને બચાવવામાં સફળ થયો. પાછળથી મેં બે વધુ વિદ્યાર્થીઓને બચાવી લીધા. ફાયર બ્રિગેડ લગભગ 40-45 મિનિટ પછી ઘટના સ્થળે પહોંચી
![]()
આગથી ડરીને લગાવી મોતની છલાંગ
આગને જોતા કોન્ચિંગ ભણવા આવેલ વિદ્યાર્થીઓ જીવ બચવા માટે ત્રીજા અને ચોથા માળથી કૂદવાનું શરૂ કર્યું. ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણા બાળકોને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. આ ઇમારત મુંબઇ-અમદાવાદ હાઇવે નજીકના સરથના વિસ્તારમાં આવેલી છે. તક્ષિસલા કોમ્પ્લેક્સ નામની ઇમારતમાં ઘણી દુકાનો અને કોચિંગ સેન્ટરો છે.

