સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગરના બલદાણા ગામે સામુહિક આપધાતની ધટના સામે આવે છે. કુવામાંથી એક મહિલા અને એક પુરુષ અને બાળકની લાશ મળી આવી છે. પ્રાથમિક માહિતી મુજબ મજુર કામ કરતા પરિવારે આપધાત કર્યો છે. વઢવાણ પોલીસ ધટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ગોધરાનો આદિવાસી પરિવાર સુરેન્દ્રનગરનાં બલદાણામાં ખેતરમાં મજૂરી કરવા આવ્યાં હતાં. પ્રાથમિક પૂછપરછમાં તપાસ કરતાં ખુલાસો થયો છે કે આર્થિક સંકડામણમાં આપઘાત કર્યો છે.
હાલ તો પોલીસે આ મૃતદેહોને પીએમ માટે રાજકોટની હોસ્પિટલમાં મોકલી દીધા છે. પોલીસ આ પરિવાર અંગે ગામ લોકોને પૂછી રહી છે.