જામનગર,
જામનગરમાં વરસાદી કહેરમાં એક મકાન ધરાશાયી થવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ત્રણ લોકો કાટમાળ નીચે દબાયા હોવાની સામે આવી રહ્યું છે. 2 મહિલાની સુરક્ષિત બહાર નીકળવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે શહેરના દેવુભાના ચોકમાં અચાનક એક મકાન ધરાશાયી થતા ત્રણ લોકો કાટમાળ નીચે દબાયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ, પોલીસ અને મનપાની એસ્ટેટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન બે મહિલાઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. જ્યારે વધુ એકની નીકળવાના પ્રયશો હાથ ધરાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.