સુરેન્દ્રનગર જીલ્લાના દશાડા વડગામ વચ્ચે અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. લાશ મળી આવતા આસપાસના લોકો દ્રારા પોલીસને જાણ કરવામાં આવી હતી. લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
તપાસ કરતા અકસ્માત થયુ હોવાનુ બહાર આવ્યુ હતુ. તો આ અજાણ્યા શખ્સની તપાસ કરતા અસ્થિર મગજ ધરાવતા હોવાનુ જાણવા મળ્યુ હતુ. લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જીલ્લાના દશાડા વડગામ વચ્ચે અજાણ્યા શખ્સની લાશ મળી આવતા દસાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા કરવામાં આવી હતી જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સવારે વહેલા સાડા પાંચ છ વાગ્યેના સમય દરમિયાન કોઈ એક્સીડન્ટ થયું હોય તેવું જાણવા મળેલ અજાણી વ્યક્તિની તપાસ કરતા મગજની અસ્થિરતા ધરાવે છે અને કોઈ આધાર પૂરાવા મલીયા નથી તો લાગતા વળગતા સગાંસંબંધીઓ દસાડા પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવો લાશને પીએમ અર્થે પાટડી હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.