વડોદરા,
વડોદરાના ધાનેરા ખાતે રિલાયન્સના બીબીપી પ્લાન્ટમાં આગ લાગી હતી. આગ લાગતા ત્રણ કર્મચારીના મોત થયા. ઘણા કર્મચારી દાઝી જતા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. પ્લાન્ટના ફીનીશિંગ બેગિંગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કંપનીની પહેલી શિફ્ટના કામદારોને કંપનીમાં જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કંપની સત્તાધીશો દ્ગારા ઘટના પર પડદો નાખવા પ્રયાસ કરી રહ્યા છે.
કંપનીના પ્લાન્ટ બહાર ગ્રામજનો અને કામદારોનો જમાવડો થયો છે. અત્યારે રિલાયન્સમાં અંદર જવાનો અને બહાર આવનો ગેટ બંધ કરી દેવાયો છે.
આગ લાગતા ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના અધિકારીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.