પાકિસ્તાનના વડાપ્રધાને હાલમાં જ પંજાબના મંત્રી નવજોત સિદ્ધુનો બચાવ કર્યો છે.
કરતારપુર કોરીડોરમાં આધારશીલા મુકવાના કાર્યક્રમમાં નવજોત સિદ્ધુએ પાકિસ્તાનમાં હાજરી આપી હતી.
ત્યારબાદ એક કાર્યક્રમમાં પીએમ ઇમરાન ખાને મંત્રી નવજોત સિદ્ધુનો બચાવ કર્યી હતો.તેમણે કહ્યું હતું કે તેઓ સમજી નથી શકતા કે આખરે શા માટે ત્રણ મહિના પહેલા નવજોત સિદ્ધુની પાકિસ્તાનની યાત્રા પર તેમની આલોચના કરવામાં આવી હતી.
સિદ્ધુનો બચાવ કરતા તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં તેઓ પ્રેમ અને ભાઈચારાનો સંદેશ લઈને આવ્યા હતા.
વધુમાં પીએમ ઇમરાન ખાને કહ્યું કે તેઓ ઇરછે તો પાકિસ્તાનમાં ચૂંટણી લડી શકે છે.તેમણે કહ્યું કે ,’ સિદ્ધુ સાહેબ, તમે જો પાકિસ્તાનમાં ચૂંટણી લડો તો તેમાં પણ જીતી જશો.’