મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ
સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની મોટી જાહેરાત
રસીના એક ડોઝની કિંમત 200 રૂપિયા રખાઈ
એક વ્યક્તિએ રસીના બે ડોઝ લેવાના રહેશે
રસીકરણ અંતર્ગત 400 રૂપિયા ચૂકવવા પડશે
3 કરોડ કર્મચારીઓને મફત રસી અપાશે
કેન્દ્ર સરકારે ઓક્સફોર્ડ-એસ્ટ્રેઝનેકાની કોવિશિલ્ડ વેક્સિન માટે સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાને ઓર્ડર આપી દીધો છે. વેક્સિનના એક ડોઝની કિંમત 200 રૂપિયા હશે. કોવિશિલ્ડની વેકેશનની દર હપ્તામાં એક કરોડ કરતાં વધારે ડોઝનો સપ્લાય કરવામાં આવી શકે છે. SIIના અધિકારીઓએ સોમવારે આ અંગે જાણકારી આપી હતી.એક વ્યક્તિએ રસીના બે ડોઝ લેવાના રહેશે.રસીકરણ અંતર્ગત 400 રૂપિયા ચૂકવવા પડશે,3 કરોડ કર્મચારીઓને મફત રસી અપાશે.
Budget / 1947 બાદ 73 વર્ષોમાં પહેલી વખત બજેટ છાપવામાં નહીં આવે, નાણામ…
સરકારે દેશમાં વેક્સિનેશન શરૂ કરવા માટે 16 જાન્યુઆરીની તારીખ નિર્ધારિત કરી છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા a3 જાન્યુઆરીના રોજ કોવિશીલડને મંજૂરી આપી હતી. તેની અસરકારકતા ને લઈને અલગ અલગ પ્રકારની બાબતો સામે આવી રહી હતી. એસ્ટ્રાઝેનેકાએ વેક્સિનની સમગ્રત: અસરકારકતા 90 ટકા સુધી હોવાનો દાવો કર્યો હતો. જ્યારે ભારતીય રેગ્યુલેટર નું માનવું છે કે વેક્સિન 70 ટકા સુધી અસરકારક છે.
covid19 / શું ગુજરાતમાં ફરી વકરી રહ્યો છે કોરોના..? આ જીલ્લામાં મોત અન…
ઓક્સફોર્ડ એ બનાવી છે વેક્સિન
કોવિશિલ્ડ કે AZD1222 ને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને તેમની કંપની વેકેન્સીટેકાએ મળીને બનાવી છે. વેક્સિનમાં ચિમ્પાન્જીમાં શરદી થવાના કારણે વાઇરસ અને નબળો કરી ઉપયોગમાં લેવામાં આવ્યો છે. જેમાં SARS-COV-2 લેવલ એટલે કે કોરોનાવાયરસનું જિનેટિક મટિરિયલ છે.કોવિશિલ્ડ વેક્સિન શરીરના સપાટી પર સ્પાઈક પ્રોટીન બનાવે છે. જેનાથી SARS-COV-2 ની સામે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેથી આગળ જતાં જો નોવેલ કોરોના વાયરસ હુમલો કરે છે તો શરીર તેનો મજબૂતીથી જવાબ આપી શકે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…