ભારતીય નાગરિક હમીદ નેહલ અન્સારી 6 વર્ષથી પાકિસ્તાનની જેલમાં હતા. પાકિસ્તાન સરકારે એમનાં પર જાસુસીનો આરોપ લગાવ્યો હતો. તેઓને ગઈકાલે જેલમાંથી છોડવામાં આવ્યા હતા અને વાઘા બોર્ડર પરથી ભારત મોકલવામાં આવ્યા હતા. આજે તેઓ દિલ્લી પહોંચી ગયાં છે.
6 વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાંથી છુટ્યા બાદ પરત પોતાનાં વતન ભારત આવવું એ અન્સારી અને એમનાં પરિવાર માટે એક ખુબ જ મહત્વની ક્ષણ છે એ સ્વાભાવિક વાત છે.
ભારત પરત આવ્યા બાદ હમીદ અન્સારીએ કહ્યું હતું કે, ‘મને ખુબ જ સારું લાગે છે ઘરે પાછા આવીને. હું અત્યારે ખુબ જ ભાવુક છું.’
6 વર્ષ બાદ પોતાનો દીકરો ભારત પરત આવે છે ત્યારે એમની માતાએ કહ્યું હતું કે, ‘એ સારા ઈરાદા સાથે ગયો હતો પણ શરુઆતમાં એ ગાયબ થઇ ગયો અને ત્યારબાદ એ મળ્યો અને એને કેદ કરી લેવામાં આવ્યો. એ વિઝા વગર ગયો ન હતો. એને છોડી દીધો એ વાત માનવતાની જીત છે.’