Not Set/ વિરપુરની આ શાળાના વિધાર્થીઓ જલારામ બાપાના ભરોસે

વીરપુર ગ્રામ પંચાયત સંચાલિત જલારામજી વિદ્યાલયની ઈમારત એટલી બધી જર્જરિત હાલતમાં છે કે ગમે ત્યાંરે છતમાંથી પોપડા પડતા હોય છે. સતાધીશો જાણે, ગરીબ પરિવારના ભૂલકાઓ સાથે કોઈ મોટો અકસ્માત થવાની રાહ જોઈ રહ્યા હોવાની સ્થાનિકોએ શંકા વ્યક્ત કરી હતી. રાજ્ય સરકાર બાળકોને શિશુ અવસ્થાથી જ શિક્ષણ તરફ વાળતી હોવાના પ્રચાર અને પ્રસાર માટે મોટા મોટા […]

Top Stories
VIRPUR વિરપુરની આ શાળાના વિધાર્થીઓ જલારામ બાપાના ભરોસે

વીરપુર ગ્રામ પંચાયત સંચાલિત જલારામજી વિદ્યાલયની ઈમારત એટલી બધી જર્જરિત હાલતમાં છે કે ગમે ત્યાંરે છતમાંથી પોપડા પડતા હોય છે. સતાધીશો જાણે, ગરીબ પરિવારના ભૂલકાઓ સાથે કોઈ મોટો અકસ્માત થવાની રાહ જોઈ રહ્યા હોવાની સ્થાનિકોએ શંકા વ્યક્ત કરી હતી.

રાજ્ય સરકાર બાળકોને શિશુ અવસ્થાથી જ શિક્ષણ તરફ વાળતી હોવાના પ્રચાર અને પ્રસાર માટે મોટા મોટા તાયફાઓ કરે છે. દર વર્ષે સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવવે છે પરંતુ બાળકોને અભ્યાસ માટે જે જરૂરી છે. સારી સ્કુલ ઇમારત તેમ જ ક્વોલીફાયડ અને પૂરતા શિક્ષકો પ્રત્યે હંમેશા દુર્લભ સેવતી હોય છે.

VIRUR1 વિરપુરની આ શાળાના વિધાર્થીઓ જલારામ બાપાના ભરોસે

આવી જ શાળા એટલે કે વીરપુર જલારામ ગામની આ જલારામજી વિદ્યાલય જાણે ભૂલકાઓની જિંદગી સાથે રમત રમતી હોય તેમ ભયજનક ઇમારત દેખાય છે. ઠેર ઠેર છતમાં પોપડા પડી ગયેલા અને છતમાં રીતસરના બહાર સળિયા દેખાય છે. જાણે હમણાં જ છતનું મોટું પોપડુ પડશે તેવો ભાસ થાય છે.

VIRPUR4 વિરપુરની આ શાળાના વિધાર્થીઓ જલારામ બાપાના ભરોસે

આવા ભય વચ્ચે કલાસરૂમમાં વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે પણ ચાલુ કલાસરૂમમાં છત પરથી પોપડા પડે છે. આવી પરિસ્થિતિમાં ના છૂટકે વિદ્યાર્થીઓને બહાર ખુલા મેદાન માં બેસાડી કલાસ ચાલુ કરી અભ્યાસ કરવો પડે છે.

VIRPUR2 વિરપુરની આ શાળાના વિધાર્થીઓ જલારામ બાપાના ભરોસે

સરકાર ઘેર ઘેર શૌચાલય બનાવવાની વાતો કરે છે, ત્યારે આ જલારામજી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે શૌચાલયની હાલત પણ કફોડી બની ગઈ છે. ત્યારે પોતાના પ્રાણથી પણ પ્યારા સંતાનોને આવી જગ્યાએ શિક્ષણ માટે મોકલતા તેમના માતા-પિતાનો જીવ નથી ચાલતો પરંતુ પોતાનું સંતાન શ્રીમંતોના સંતાનોની જેમ લખતા વાંચતા શીખી જાય તે માટે તેમજ મોંઘી પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવાની આર્થિક ત્રેવડ ન હોવાથી ના છૂટકે સરકારી સ્કૂલમાં મૂકવા પડતા હોવાની હૈયાવરાળ ઠાલવી હતી.

VIRPUR3 વિરપુરની આ શાળાના વિધાર્થીઓ જલારામ બાપાના ભરોસે
વિદ્યાર્થીઓ ની જિંદગી સાથે રમત રમતા સતાધીશો આ ગરીબ પરિવારના ભૂલકાઓ સાથે જાણે કોઈ દુર્ઘટના ઘટે તેની રાહ જોતાં હોય તેમ આવી જર્જરિત ઇમારતની કોઈ પ્રકારની મરમ્મત કરાવવાનું તો દૂર વિદ્યાર્થીઓ કેવા હાલમાં સ્કૂલમાં બેસે છે તે જોવાની તસ્દી પણ લેતા નથી.

VIRPUR5 વિરપુરની આ શાળાના વિધાર્થીઓ જલારામ બાપાના ભરોસે

આ અંગે જલારામજી વિદ્યાલયના પ્રિન્સીપાલ વી.ડી.નૈયા સરને પૂછતા તેમણે જણાવેલ કે, વીરપુર ગ્રામ પંચાયત અને સરકારશ્રી ને વારંવાર લેખિત રજુઆત કરતા સરકાર તરફથી કોઈ દરકાર લેવામાં આવી નથી. જોકે સ્કૂલના પ્રિન્સિપાલ વી.ડી.નૈયાના પ્રયાસ અને વીરપુર ગામના સેવાભાવિ માણસોના સહયોગથી સ્કૂલના કલાસરૂમમાં અમુક અમુક જગ્યાએ પ્લાસ્ટર કરાવેલ છે. તેમ છતાં તંત્ર દ્વારા વહેલી તકે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા આ સ્કૂલનું રીનોવેશન કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકો દ્વારા માંગ કરાઈ રહી છે.